મંઝિલને ઢૂંઢવા દિશાઓ કપરી જવું પડે,છોડી જૂનું વતન નવી નગરી જવું પડે.
યુગોથી મીંટ માંડવી તપ એનું નામ છે,શ્રીરામને જમાડવાં શબરી થવું પડે.
બદલાની અપેક્ષા વિનાં સત્કર્મ જો કરો ,પત્થરનાં દેવને કદી પ્રગટી જવું પડે.
દર્શન પ્રભુનાં પામવાં કપરી કસોટી છે,અર્જુનનાં રથના ચક્રની ધરી થવું પડે.
પાણી થવાંને કેટલું પાણી સહન કરે,વાદળ બનીને વીજથી સળગી જવું પડે.
સન્માન કેવું પામશો મૃત્યુ પછી ‘રવિ’,જોવાં તમાશો એક વાર ગુજરી જવું પડે.
- રવિ ઉપાધ્યાય
Thursday, October 30, 2008
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment